Latest

જામનગરના બલાછડી ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણમંત્રી

જામનગર, સંજીવ રાજપુટ: સૈનિક શાળાના “૬૨માં વાર્ષિક મહોત્સવ” નિમિત્તે માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને પદક તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

સૈનિક શાળા બાળકોના જીવનમાં જ્ઞાન સાથે રક્ષા, બહાદુરી અને રાષ્ટ્રસેવાનો ભાવ ઉજાગર કરી નવો ઉમંગ અને ચેતના જગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ત્યારે બાલાછડી, જામનગર ખાતે આવેલ સૈનિક શાળાના “૬૨માં વાર્ષિક મહોત્સવ” નિમિત્તે માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા તેજસ્વી તારલાઓને પદક તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા.

અભ્યાસ કરી રહેલા સૌ વિદ્યાર્થીમિત્રો પોતાની કારકીર્દીને ઉંચી ઉડાન આપી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનશે તેવો આ તકે રાજ્ય શિક્ષણ મંત્રીએ દૃઢ વિશ્વાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં સૈનિક શાળાના પ્રધાનાચાર્ય, કર્મચારીગણ, શાળા સમૂહના સભ્યઓ, વિદ્યાર્થીઓ સહિત વાલીગણની સૂચક ઉપસ્થિતિ રહી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *