Latest

ચારધામ ના યાત્રીઓ નું પુષ્પ ગુલાબ કુમકુમ તિલક અને મો મીઠું કરાવી સ્વાગત કરતા અમદાવાદ ના મગનભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પનાવડા ગામના મૂળ વતની અને હાલ અમદાવાદમાં રહેતા મગનભાઈ પટેલે મોડાસા થી દહેગામ અમદાવાદ રોડ પર રાયપુર સ્ટેશન પર નર્મદા નહેર પર આવેલ જય રણછોડ ફાર્મ હાઉસ ઓમ શક્તિ હોટેલ ના મૂળ માલિક દ્વારા ગત વર્ષે વારાણસી અને નેપાળ ટુર ના 20 પરિવારના સભ્યોને સ્વાગત કરી ભોજન પ્રસાદી કરવી હતી

તેવીજ રીતે માલપુર તાલુકા ના તાજેતરમાં ચારધામ યાત્રા પૂર્ણ કરી આવેલા 13 પરિવારના સભ્યોને હોટલ ના મુખ્ય દ્વારે કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું ગુલાબ ના ફૂલ ગોળ ધાણા તેમજ પેડા ખવડાવી ને મોઢું ગળ્યું કરવી યાત્રાળુઓને નાહવા ની સગવડ કરાવી ભોજન પ્રસાદી કરવી હતી

આ યાત્રાળુ માં માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ ,જેસવાડી ના ગોવિંદભાઇ પટેલ, સંદેશ ન્યુઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઇ પંડ્યા ,નેશનલ ન્યુઝ ચેનલના મહેન્દ્રપ્રસાદ ,પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અરવિંદભાઈ શિવાભાઈ પટેલ, સોનિકપુર ના અરવિંદભાઈ પટેલ અમદાવાદ ના ડાહ્યાભાઈ પટેલ મૂળ પહાડીયા ગામ ના વતની તેમજ કૃષ્ણાપુર કમ્પા ના મૂળ અને હાલ જામનગર નરેશભાઈ પટેલ અને ટીસકી ગામના કાલીદાસ ભાઈ પટેલ, પરસોડા ના વતની અને તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રપટેલ ,સુનિલભાઈ પટેલ જેસવાડી ના દશરથભાઈ પટેલ અને હેલોદર ગામના મુકેશભાઈ જેશીંગભાઈ પટેલ ચારધામ ની યાત્રાધામ ના પ્રવાસ માં હતા

આ તમામ સદસ્યો એ કેદારનાથ ગંગોત્રી યમનોત્રી અને બદ્રીનાથ દિલ્હી સ્વામિનારાયણ મંદિર તેમજ દિલ્હી દર્શન ના શાંતિપૂર્ણ પ્રવાસ કર્યો હતો. છેલ્લા બે ટર્મ થી યાત્રાળુઓને જય રાણછોડ ફાર્મ હાઉસ ના મલિક મગનભાઈ પટેલ અને તેમના પુત્ર જયેશભાઇ તથા તેમના પુરા પરિવારના સભ્યો અને તેમના મિત્રો મંડળ દ્વારા સ્વાગત કરી એક અનેરો ઉત્સાહ પૂર્વક તેમના દ્વારા સરાહનીય કાર્ય કરી અનેરા આનંદ અનુભવી રહ્યા છે ત્યારે ચારધામ યાત્રાળુઓ એ પણ મગનભાઈ પટેલ અને તેમના પુરા પરિવારના સભ્યોને આભાર માન્યો હતો અને ધન્યવાદને ને પાત્ર ગણાવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *