Latest

પારિવારિક ઝગડાના કારણે દોઢ માસથી રિસામણે બેઠેલી મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટીમ

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જામનગરની એક મહિલાએ 181માં ફોન કરી મદદ માંગતા જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાના કારણે હું દોઢ માસથી મારા પિયરમાં છું અને મારા સાસરા પક્ષથી અત્યારે કોઈ સંપર્ક નથી પરંતુ મારે સમાધાન કરી પરત સાસરે જવું હોવાથી ડર લાગે છે કે એ લોકો મને અપનાવશે કે નહીં તેથી મારે 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.

કોલ આવતાની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને મહિલાને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ અને સમસ્યા જાણેલ કે મહિલાને પહેલા બાળક વખતે કસુવાવડ થયેલ હોય આ વાતને લઈને તેના સાસુ, સસરા અને પતિ માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલતા તેમજ ખાણીપીણીમાં અને પહેરવેશમાં દેરાણી જેઠાણી અને મારા વચ્ચે ભેદભાવ કરતા હોય અને પતિએ મારપીટ કરેલ હોય તેથી ત્રાસથી કંટાળીને તેઓ તેમના પિયર દોઢ માસથી ચાલ્યા ગયા છે.

181ની ટીમ દ્વારા મહિલા તેમના સસરા પક્ષના સભ્યોનું કુશળ કાઉન્સેલિંગ કરી કાયદાકીય અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 વિશે વિગતવાર કાયદાકીય માહિતી આપી હતી. તેમજ પારિવારિક સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ તેમની ભૂલ સ્વીકારતા મહિલાને રાજી ખુશીથી સ્વીકારી સુખદ સમાધાન થતા સૌએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *