Latest

પારિવારિક ઝગડાના કારણે દોઢ માસથી રિસામણે બેઠેલી મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટીમ

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જામનગરની એક મહિલાએ 181માં ફોન કરી મદદ માંગતા જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાના કારણે હું દોઢ માસથી મારા પિયરમાં છું અને મારા સાસરા પક્ષથી અત્યારે કોઈ સંપર્ક નથી પરંતુ મારે સમાધાન કરી પરત સાસરે જવું હોવાથી ડર લાગે છે કે એ લોકો મને અપનાવશે કે નહીં તેથી મારે 181 મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.

કોલ આવતાની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને મહિલાને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ અને સમસ્યા જાણેલ કે મહિલાને પહેલા બાળક વખતે કસુવાવડ થયેલ હોય આ વાતને લઈને તેના સાસુ, સસરા અને પતિ માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલતા તેમજ ખાણીપીણીમાં અને પહેરવેશમાં દેરાણી જેઠાણી અને મારા વચ્ચે ભેદભાવ કરતા હોય અને પતિએ મારપીટ કરેલ હોય તેથી ત્રાસથી કંટાળીને તેઓ તેમના પિયર દોઢ માસથી ચાલ્યા ગયા છે.

181ની ટીમ દ્વારા મહિલા તેમના સસરા પક્ષના સભ્યોનું કુશળ કાઉન્સેલિંગ કરી કાયદાકીય અને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 વિશે વિગતવાર કાયદાકીય માહિતી આપી હતી. તેમજ પારિવારિક સંબંધનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ તેમની ભૂલ સ્વીકારતા મહિલાને રાજી ખુશીથી સ્વીકારી સુખદ સમાધાન થતા સૌએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *