Latest

સુરતની ગાંધી કોલેજમાં શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ‘વન વીક અટલ ફેકલ્ટી ડેવલપમેન્ટ’ કાર્યક્રમ યોજાયો

સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં મજુરાગેટ સ્થિત ડો.એસ.એસ.ગાંધી કોલેજના સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટના સેમિનાર હોલમાં ‘વન વીક અટલ ફેકલ્ટી ડેવલપમેન્ટ” કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજની દુનિયામાં ટેક્નોલોજીના ક્ષેત્રે નવી શોધો અને પ્રગતિ થઈ રહી છે, જે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. હાલ આપણા દેશમાં પ્રગતિમાં રહેલા મેટ્રો, બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ્સમાંથી આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી બાબતો શીખવા મળી રહી છે. સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર્સે વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કરવા, વૈશ્વિક ટ્રેન્ડસથી વાકેફ કરવા અને જ્ઞાન વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારો સિંચન થાય માટે શિક્ષકો-પ્રોફેસરોએ આત્મીયતા અને જવાબદારીપૂર્વક શિક્ષણ પ્રદાન કરવાની શીખ આપી હતી.

ભગવદ્દ ગીતામાં દર્શાવેલા માર્ગ પર ચાલવાથી જીવનના દરેક તબક્કે આવતી મુશ્કેલીઓનું સમાધાન મળશે એમ જણાવી વધુમાં તેમણે જણાવ્યું કે, આધ્યાત્મિકતા સાથે ઉન્નત સંસ્કાર સિંચન થાય તે માટે ધો. ૬ થી ૮ના અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ ગીતાના અભ્યાસને સ્થાન આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાથી તેમની નૈતિકતામાં વધારો થશે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ પોતાની જવાબદારીમાં નૈતિક મૂલ્યો જાળવી રાખશે. વિદ્યાર્થીઓ લોભ અને લાલચથી દૂર રહી ઈમાનદારીથી કાર્ય કરશે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે. જો આપણે સારા ગુણોનું સતત ચિંતન કરીએ, તો તે ગુણો આપણામાં પ્રગટ થશે. આ માટે હંમેશા સારા વિચારોનું આદાન-પ્રદાન કરવું જરૂરી છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એક સારો એન્જિનિયર ઉત્તમ બ્રિજનું નિર્માણ કરી શકે છે, પરંતુ તે જરૂરી નથી કે તે પોતાની પારંપરિક જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકે. આ માટે વ્યવહારિક, નૈતિક જ્ઞાન પણ જરૂરી છે. જો વ્યક્તિ વ્યવહારૂ બનશે તો તે પોતાના કામ સાથે પરિવારની જવાબદારીઓ પણ બખુબી નિભાવશે.

આ પ્રસંગે સિવિલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના હેડ એસ.આર.જોશી, પ્રોફેસરો, વિવિધ કોલેજોના ફેકલ્ટીઓ સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *