Latest

રાધનપુરમાં સરકારી રેફરલ હોસ્પિટલની બેદરકારી અને સ્ટાફની મનમાની આવી સામે

એબીએનએસ, રાધનપુર: રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવે જેના માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન થતાં સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંધન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરાયું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુર સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી દર્દીને હોસ્પિટલમા બેસી રહેવા મજબુર કરતા આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી જેમાં તે સમયે રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક સામે આવી છે.

રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા દર્દીની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી દર્દી આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા દર્દી ની શુ હાલત બને તેવા સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે.

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો દર્દી દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા સ્ટાફની ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો રાધનપુરના ધારાસભ્ય જાહેર જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે આગળ આવે તે પણ જરૂરી બની ગયું છે.

આ બાબતે રેફરલના ઉચ્ચ અધિકારીને જાણ કરતા પૂછતાં તેઓએ એ આ આક્ષેપો નકાર્યા હતા અને આ બાબતે વધુ જાણકારી મેળવી યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. હવે જોવું એ રહ્યું કે આ બાબતે નર્સ કે સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે પછી આ રીતે જેસે ચાલતા હે ચલને દો ની નીતિ ચાલુ જ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *