Latest

હાર્દિક પટેલ, હર્ષદ પટેલ અને અનિકેત ઠાકર અંબાજી મંદિરના દર્શન કર્યા

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ જાહેર થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં ભાજપ 156 નો આંકડો વાર કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં ભાજપ ભાજપ જોવા મળી રહ્યું છે

ત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો દેવ દર્શન કરવા આવી રહ્યા છે અંબાજી મંદિર ખાતે પણ 9 ડિસેમ્બરના રોજ વહેલી સવારે સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દર્શન કરવા આવ્યા હતા ત્યારે બાદ સોરભ ઉપાધ્યાય દ્વારા યજ્ઞશાળા માં યજ્ઞ ની આહૂતિ પણ અપાવવામાં આવી હતી અને બપોરે 1:00 વાગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ માં અંબાના મંદિરમાં શીશ ઝુકવવા આવ્યા હતા.

રાજકીય નેતાઓની વાત કરવામાં આવે તો ગુજરાત ખાતે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે પણ નેતાઓ ટિકિટ માટે માતાજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને ટિકિટ મળી ગયા બાદ પણ માતાજીના દર્શન કર્યા હતા અને જીતી ગયા બાદ પણ નેતાઓ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અમદાવાદ સાબરમતીના હર્ષદ પટેલ પાલનપુરના અનિકેત ઠાકર અને વિરમગામના હાર્દિક પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન’ સ્ટોલ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર…

ચેમ્બર ઓફ કોમર્સના લેડિઝ વિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ‘લેડિઝ ટેલેન્ટ શો’ યોજાયો

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત લેડિઝ ટેલેન્ટ શો’માં ર૦ જેટલી મહિલાઓએ પોતાની કલાકૃતિ…

1 of 539

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *