Latest

આણંદ જિલ્લામાં તા. ૧૬ મી જાન્યુઆરી સુધી સભા-સરઘસબંધી અને હથિયારબંધી

આણંદ, મંગળવાર :: ઉત્તરાયણના તહેવારની ઉજવણી દરમિયાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ.દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂએ બહાર પાડેલ જાહેરનામા મુજબ સમગ્ર આણંદ જિલ્લામાં આગામી તા. ૧૬/૦૧/૨૦૨૪ સુધી હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરીક ઈજા કરી શકાય તે સાથે ફરવા ઉપર, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે ફરવા ઉપર મનુષ્યો અથવા શબ તેમજ પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી બીભત્સ સુત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા ઉપર, સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુ ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્લેકાર્ડ અથવા બીજા કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા તેમજ દેશ વિરોધી નારાઓ પોકારવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય અથવા જે ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *