Latest

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓ દ્વારા ”વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે શપથ ગ્રહણ કરાયા

જામનગર, સંજીવ રાજપૂત દર વર્ષે તારીખ 14 મી જુનના રોજ ”વિશ્વ રક્તદાતા દિવસ/વર્લ્ડ બ્લડ ડોનર ડે” નિમિત્તે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડયા સહિત ઉપસ્થિત કર્મયોગીઓએ રક્તદાન ઝુંબેશનો વ્યાપ વધારવા અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કર્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ”20 યર્સ ઓફ સેલિબ્રેટિંગ ગિવિંગ : થેન્ક યુ બ્લડ ડોનર્સ” થીમ નક્કી કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજીઝ, બ્લડ બેંકો અને ખાનગી હોસ્પિટલ્સ દ્વારા સાથે મળીને ગ્રુપ બ્લડ ટેસ્ટિંગ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સામાન્ય નાગરિકો તેમના બ્લડ ગ્રુપ વિષે જાણકારી મેળવી શકે અને આકસ્મિક સંજોગોમાં રક્તદાન કરવા માટે તેઓ પ્રેરિત બને. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ માનવ કલ્યાનું સર્વોત્તમ કાર્ય છે.

આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર તેમજ કલેકટર કચેરીની વિવિધ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *