Latest

વલભીપુરમાં માનવસેવા ગ્રુપ દ્વારા 36 મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો…

વલભીપુરમાં તારીખ 28 9 23 ના રોજ શિહોર મોંઘીબા ની જગ્યાના મહંત શ્રી જીણારામબાપૂ ના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી તેમજ માનવ સેવા ગ્રુપ વલભીપુર આયોજિત અને સ્વ નિકુલભાઇ વલ્લભભાઈ કાંબડ ના સ્મરણાર્થે શ્રી વાઘા સ્વામી મહારાજ ની જગ્યા માં ભવ્યા તી ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો

તેમાં આંખની તપાસમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો તેમાંથી 54 દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા તેમજ વિનામૂલ્ય આંખ ના નંબર ની તપાસ ફ્રી કરી આપી રાહત દરે ચશ્માંનું વિતરણ પણ કરવામાં આવ્યું. તેમજ આયુર્વેદિક કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો

તેમાં પણ 50% રાહદારે આયુર્વેદિક દવા નું વિતરણ સ્થળ પર જ કરવામાં આવ્યું ને દાતાશ્રી દ્વારા મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે ચા અને ઠંડુંપાણી તેમજ જમવાની વ્યવસ્થા પણ કરેલ માનવ સેવા ગ્રુપના નિકુંજભાઈ લંગાળીયા રામજીભાઈ કાલાણી રાજેન્દ્રસિંહ ગોહિલ નાંરસંગભાઇ મોરી અરવિંદભાઈ રામાનુજ પ્રતિકભાઇ કાલાણી

એ તમામ વલભીપુરના નગરજનો નો દાતાશ્રી નો તમામ ચાલતા સોશિયલ મીડિયા ગ્રુપનો પત્રકાર મીડિયા ભાઈઓનો માનવસેવા ગ્રુપ વલભીપુર ખુબ ખુબ આભાર માને છે ને આગામી 28 10 2023 ના રોજ 37 મોં કેમ્પ યોજાશે તથા માનવસેવા ગ્રુપ વલભીપુર દ્વારા દર મહિને ચાલતી આ સેવા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે આ સેવા માં ગ્રામજનોનો તમામ નો આભાર માને છે….

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *