Latest

શક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અમદાવાદમાં પોતાના સુર રેલાવશે

જીએનએ અમદાવાદ: નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આવનાર નવરાત્રિને લઈ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદ ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.

શક્તિ અને અરાધ્યના મહાપર્વ નવરાત્રીને માત્ર મહિનો બાકી રહ્યો છે ત્યારે ખેલૈયાઓની સાથે સાથે મધુર સ્વરે લોકોને ઝૂમતા કરનાર ગાયકો કાંઈક નવું પીરસવાની પુરજોશ તૈયારીઓમાં લાગ્યા છે. 15 ઓકટોબર થી શરૂ થનાર આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવને લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમદાવાદના રાજપથ કલબ ખાતે પત્રકારોને સંબોધવામાં આવ્યા હતા

જેમાં મહોત્સવના આયોજક એમઝોનના દેવાંગભાઈ ભટ્ટ, જેપી એન્ટરટેનમેન્ટના જીજ્ઞેશભાઈ પટેલ, સાગરભાઈ ભટ્ટી, નયન ભાઈના જણાવ્યા મુજબ આ વખતે એમઝોન ના સાહિયારે 7 જગ્યા પર વિવિધ જગ્યાએ અલગ અલગ થીમ પર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવશે જેમાં અમદાવાદ ખાતે 7 દિવસ પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી પોતાના સુર રેલાવશે. ખેલૈયાઓની તમામ જરૂરિયાત અને પસંદને જાણીને આ વખતે અદભુત આયોજન કરવામાં આવશે જેમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવનાર છે. જેમાં ખેલૈયાઓ માટે ઓનલાઈન તેમજ સ્પોટ પર પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *