Latest

આજે બેસતા વર્ષના દિવસે માતાજી સોનાના થાળમાં જમ્યા, અન્નકૂટ મહોત્સવ , બેસતા વર્ષના દિવસે ત્રણ આરતી થાય છે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.

હાલમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યુ છે અને મંદિર પરિસરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ છે.

આજે બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે 12 વાગે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અંબાજી મંદિરમાં અન્નકૂટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.અંબાજી મંદિરમાં નવા વર્ષના દિવસે માતાજીની ગાદી તરફથી અન્નકુટ ધરાવવામાં આવ્યો.

અંબાજી મંદિર ની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે અને બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાતુ જોવા મળ્યુ હતુ.

માતાજીના ધરાવાય છે માતાજીને બેસતા વર્ષના દિવસે અન્નકૂટ જેમાં અલગ અલગ જાતની મીઠાઈઓ ધરાવવામાં આવી હતી,જેમાં 100 ઉપરાંતની વાનગીઓ હોય છે.અંબાજી મંદિરમાં સોનાના થાળમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે .

સોનાના થાળનું વજન અંદાજે 10 કિલો જેટલું હોય છે.બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં 3 આરતી થાય છે.સવારે મંગળા આરતી, બપોરે અન્નકુટ આરતી અને સાંજે સાય આરતી થાય છે
:- તન્મય ઠાકર, ભટ્ટજી મહારાજ,અંબાજી મંદિર
અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *