Latest

અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતેથી સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા માનભેર વયનિવૃત્તિ થયાં

અમદાવાદ, સંજીવ રાજપૂત: માહિતી વિભાગના વરિષ્ઠ સિનિયર કેમેરામેન હર્ષેન્દુ ઓઝા 31-10-2023 ના રોજ પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ખાતેથી માનભેર વયનિવૃત્ત થયા. આ તકે પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના અધિકારી-કર્મચારીઓએ વય નિવૃત્તિ લઈ રહેલા શ્રી હર્ષેન્દુ ઓઝાને નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી નીવડે તેવી શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી.

વિદાય સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંપૂર્ણ સ્ટાફ પરિવાર વતી નિવૃત્તિ વેળાએ શાલ ઓઢાડી હર્ષેન્દુ ઓઝાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે માહિતી વિભાગના વિવિધ વિભાગોના અધિકારીઓ-પદાધિકારીઓએ હર્ષેન્દુ ઓઝા સાથેના પોતાના કાર્યકાળ દરમિયાનના યાદગાર ક્ષણો-અનુભવો વ્યકત કર્યા.

છેલ્લાં 30 વર્ષમાં માહિતી વિભાગમાં કેમેરામેન તરીકેની નોંધપાત્ર કામગીરી દ્વારા રાજ્ય-કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી લાભાન્વિત કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર શ્રી હર્ષેન્દુ ઓઝાના વિવિધ કાર્યપ્રસંગોને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા.
શ્રી હર્ષેન્દુ ઓઝાની કેમેરા સ્કીલની સાથોસાથ આગવી કાર્યશૈલી, કોઠાસૂઝ, જનસંપર્ક કળા અને આત્મવિશ્વાસથી કાર્યો પાર પાડવાની કાર્યપદ્ધતિને માહિતી વિભાગની અલગ અલગ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ વાગોળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં 30 વર્ષોમાં કેમેરાના કસબી શ્રી ઓઝાએ રાજ્ય સરકારના અનેક મહત્વના કાર્યક્રમો, ઉપક્રમો અને યોજનાઓના પ્રચાર પ્રસારમાં પોતાની કેમેરા સાથેની અને કેમેરા સિવાયની જવાબદારીઓ અને આગવી કાર્યપદ્ધતિ દ્વારા સૌ અધિકારીઓ, કર્મચારીઓમાં પોતાની આગવી છાપ છોડેલી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *