Latest

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. ગુજરાત માંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોચ્યા છે.

ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે. તેઓએ મહાકુંભમાં ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ્સનું સાધુ સંતોને વિતરણ કર્યું હતું. જ્યુટ એટલે કે શણ માંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે.

જામનગરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી તેમજ લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી બે દિવસીય મીલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. તે પૈકી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે નિધિબેન દવેને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો.

તેઓ જણાવે છે કે, હું જામનગરમાં ૭ વર્ષથી જ્યુટમાંથી વિવિધ વેરાયટીઓના બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરું છુ. મેં મારા પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોચી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી ૧૫૦૦ જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા.

અને ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું હતું. જેથી કરીને તેઓ આ ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે અને લાંબાગાળા સુધી એક કરતા વધુ વખત તેનો ઉપયોગ કરી શકે. ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *