Latest

સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગર ખાતે નિસ્વાર્થ સેવા ની ધૂણી ધખાવી બેઠેલા કુષ્ઠ રોગિયો ના મસીહા સુરેશભાઈ સોની ને આજે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાતના સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ પોસ્ટ ટ્રસ્ટ માં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશભાઈ સોની ને પદ્મ શ્રી એવોર્ડ અપાતા સાબરકાંઠા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ખુશી વ્યાપી છે સમગ્ર દેશભરમાંથી રક્તપિત ના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે જેમાં આજની તારીખે 1051 થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે જેનો સંપૂર્ણ શ્રી સુરેશભાઈ સોની નામના સંચાલકને જાય છે જેઓ તમામ દર્દીઓ માટે મૂછાળી મા બની રહ્યા છે.

નેશનલ હાઇવે નંબર આઠ ઉપર હિંમતનગર થી શામળાજી હાઇવે પર હિંમતનગર થી 30 km ના અંતરે આવેલ સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ નામની સંસ્થા છેલ્લા 35 વર્ષથી નિરંતર રક્તપિત દિવ્યાંગ તેમજ જેનું કોઈ આધાર ન હોય તેવા સૌ કોઈનો આધાર સ્તંભ બની રહ્યું છે.

સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ ની સ્થાપના ૧૯ ૭૮માં હિંમતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે હાઇવે ઉપર 31 એકર જગ્યામાં નિર્માણ પામી છે જેમાં સુરેશભાઈ સોની નિરંતર સેવાનો ધોધ વહાવી રહ્યા છે સુરેશભાઈ સોની મૂળ નર્મદા જિલ્લાના સિનોર ગામના વતની છે તેમજ વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ છેવાડાના વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા છે

જે આજની સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે જેના પગલે આજે સુરેશભાઈ સોની સહિત સમગ્ર સહયોગ પોસ્ટ ટ્રસ્ટ ના પ્રત્યેક સદસ્યાના ચહેરા ઉપર ખુશીની લહેર ફેલાઇ છે. છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરતી ઉપર માનવતાની મહેક જગાવનાર સુરેશભાઈ સોની ને આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સેવાની કદરરૂપે પદ્મશ્રી એવોર્ડ એના થયું છે

જેની ખુશી સુરેશભાઈ સહિત સમગ્ર સહયોગ પોસ્ટ ટ્રસ્ટમાં દેખાય છે તેમજ લોકો આજે પણ સુરેશભાઈ સોનીને માનવતાના ભગવાન ગણે છે આજે જ્યારે તેમના નામની જાહેરાત પદ્મશ્રી એવોર્ડ માટે કરાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ લોકોની સેવાનો અવિરત યજ્ઞ ચલાવનારની સાચા અર્થમાં કદર અને કિંમત થઈ હોય તે પરિવારજનો માની રહ્યા છે…..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *