Latest

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે જામનગર પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયમાં જામનગર પોલીસ દ્વારા કાયદાકીય માહિતી અને સાઇબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય કાયદાની જાણકારી પોસ્કો તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો. જેમાં પોલીસ અધિકારી ડીવાયએસપી નયનાબહેન ગોરડિયા, બેડી મરીનના પી.એસ.આઇ વી.એન પોપટ સાથે કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા હતા.

નયનાબહેન ગોરડિયાએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેશ, જીપીએસસી વિશે માર્ગદર્શન, પોલીસ વિભાગની કામગીરી, કાયદાકીય માર્ગદર્શન તેમજ અધિકારી તરીકે પોતાનો અનુભવ જણાવ્યો હતો. ઉપસ્થિત અધિકારી દ્વારા વિદ્યાલયના વિદ્યાર્થીઓથી ખુબ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય દ્વારા તમામ અધિકારીનું સન્માન કરાયું.

આ કાર્યક્રમમાં વિદ્યાલયના નિયામક શ્રી જયશ્રીદીદી, આચાર્યો તેમજ ધોરણ ૮,૯,૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ નું સંચાલન વિદ્યાલયના આચાર્ય હેમાંશુભાઈ પરમારએ કર્યું હતું .આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ તેમજ તેનાથી બચવાનું માર્ગદર્શન મળ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *