bhavnagarGujaratLatest

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સુશ્રી રૂપલબેન બગદાણીયા નું ઘરના ઘર નું સ્વપ્ન થયુ સાકાર

ભાવનગર શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા સુશ્રી રૂપલબેન બગદાણીયા કહે છે કે,પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેર)નાં માધ્યમથી તેઓ હાલમાં પાકા મકાનમાં રહેવાનું સ્વપ્ન સાકાર થયુ છે.સરકારશ્રીની આવાસ યોજનાની સહાયથી પાકું મકાન મળતા અમારા સામાજિક મોભામાં વધારો થયો છે.
ભાવનગરમાં પ્રાઇવેટ નોકરી કરી અને ધો.૧૦ અને ઘો.૧૨ માં અભ્યાસ કરતાં પોતાનાં બન્ને બાળકોની સારસંભાળની જવાબદારી સંભાળી રહેલ રૂપલબેન ખુશીની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે,છેલ્લા ઘણાં સમયથી તેઓ ભાડાનાં મકાનમાં રહેતા હતા અને ભાડાનાં મકાનમાં તેઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.ભાડાનાં મકાનમાં એક કરતા વધુ વર્ષ થાય ત્યારે મકાનમાલિક દ્વારા મકાન ખાલી કરી આપવા વગેરે જેવી બાબતોમાં ખૂબ જ તકલીફો વેઠવી પડતી હતી.
તેઓને સગાસંબંધીઓ દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણકારી મળતાં તેઓએ આ યોજનામાં મકાન મેળવવા ફોર્મ ભર્યું હતું.જેમાં તેઓને મકાન પ્રાપ્ત થતા આ યોજના અંતર્ગત કુલ છ હપ્તામાં તેઓને રૂ.૩,૨૫,૦૦૦ ની સહાય મળી છે.
સરકારશ્રીની આ યોજના થકી તેઓને એક બેડરૂમ, હોલ,રસોડા,બાથરૂમ અને ટોયલેટની સુવિધાવાળું ઘર ઉપલબ્ધ થયું છે.તેઓ સામાન્ય વર્ગનાં પરિવાર માટે આ યોજના આશીર્વાદરૂપ છે તેમ કહી તેઓએ આ યોજના માટે અમે સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 593

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *