Latest

દાંતા પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, બસમાં રહેલા મુસાફરોનો થયો આબાદ બચાવ

સંજીવ રાજપૂત: અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની બસનું દાંતા ખાતે અચાનક ટાયર ફાટતા બસ ડિવાઈડર તોડી બીજી સાઈડમાં ચાલી ગઈ હતી.

ગુજરાત રાજ્ય નિગમની બસ નંબર જીજે18ઝેડ9433 કલોલ તરફ જતા દાંતા પાસે ટાયર ફાટતા આ અકસ્માત બનવા પામ્યો હતો. સદનસીબે બસમાં માત્ર આશરે 4 મુસાફરો સહિત ડ્રાઇવર અને કન્ડક્ટર હતા જેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થવા પામી નહોતી. જેથી એક મોટી જાનહાની થતા ટળી હતી.

બસ ડિવાઈડર કૂદી જતા ડિવાઈડરની વચ્ચે લાગેલા 2 જેટલા વિજપોલને નુકશાન થવા પામ્યું હતું તેમજ બસના આગળના ભાગે પણ ખૂબ નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આમ એક મોટી ઘટના બનતા બનતા રહી ગઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *