Latest

અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને લઈ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે જેના ભાગરૂપે અવેરનેસને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો..

અમદાવાદ વાસીઓ ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ રહેતા આવ્યા છે. છેલ્લા વર્ષના આંકડાઓ જોઈએ તો રોડ પર ટુ વહીલર ચલાવનાર 50 ટકાથી વધુ લોકો મોતનો શિકાર બન્યા છે. પરંતુ ટુ વહીલર ચલાવનાર થોડા સતર્ક સજાગ બને તો આ આંકડો ઓછો થઈ શકે છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય થકી ચાલક અને સાથે સવારની સુરક્ષાને લઈ અવેરનેસ વધુ ફેલાય તે માટે અમદાવાદ હેડ ક્વાર્ટર ખાતે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ થી લઈ ટ્રાફિક કર્મીઓ જોડાયા હતા જેઓ દ્વારા નાના બાળકોને 50 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું..

જો શહેર ટ્રાફિક પોલીસ તમારા જીવની રક્ષા માટે સજ્જ બનતી હોય તો એક નાગરિક તરીકે તમારી પણ તે જવાબદારીને સ્વીકારી સતર્ક રહેવાની ફરજ બને છે. સાહેબ રફતારમાં જ્યારે પોતાના અંગતનો જીવ આમ અકસ્માતમાં જાય છે ત્યારે તેની વેદના અને ખોટ ઘેર તેના પરત આવવાની રાહ જોતા પરિવારજનો જ સમજી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની કામગીરીને ખરેખર સલામ છે જે આવા ઉમદા કાર્ય થકી તમને જાગૃત થવા પ્રેરણા અને એક સલામતીનો સંદેશ આપી જાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *