Latest

વલ્લભ વિદ્યાનગરમાં ગ્રૂપ હેડક્વાર્ટરની મુલાકાત લેતા એનસીસી ડિજી ગુરબીરપાલસિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત: NCCના મહાનિદેશક (DG) લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલસિંહ, AVSM, VSMએ વલ્લભ વિદ્યાનગર ખાતે ગ્રૂપ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી.

ડિજીએ એનસીસી પ્રવૃત્તિઓ અને ગુજરાત NCCની વિકાસ યોજનાઓની ચર્ચા કરી હતી. તેમણે ગ્રૂપ કમાન્ડરો, એનસીસી યુનિટના કમાન્ડિંગ ઓફિસર, કેડેટ્સ અને તાલીમ સ્ટાફ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે કેડેટ્સ અને કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સન્માનિત કર્યા હતા.

તેમણે યુવા પેઢી અને સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ખાસ કરીને સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એનસીસી પ્રવૃત્તિઓના વિકાસ પર ભાર મૂક્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *