Local Issues

ગઢડા (સ્વામીના) ઓબીસી વર્ગને વસતીના ધોરણે અનામત આપવાની માંગણી

રિપોર્ટર જયરાજ ડવ ગઢડા

10% અનામત પણ રદ કરી જે ૨૭% કરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ગઢડા(સ્વામીના) મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી વર્ગને સંવિધાનની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં વસ્તીના ધોરણે અનામત આપવા તથા વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવા બાબત સહિત વિવિધ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન લેખિતમાં આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી કે રાજ્યની કુલ વસ્તીના ૫૨% કરતા વધારે વસતી ઓબીસી સમાજની છે. ઓબીસીમાં સમાવિષ્ટ ૧૪૬ કરતા પણ વધુ જાતિના લોકો માટે દેશના તમામ નાગરિકો માટે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયનો દરજ્જો સમાનતા ની ખાતરી ભારતના સંવિધાને આપેલ છે.

સ્વરાજની સંસ્થાઓમાંથી ચૂંટણી માં સામાજિક અને પછાત વર્ગના ઓબીસીના લોકોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેવા શુભ આશયથી વસ્તીના ધોરણે ૧૦ % અનામતનો લાભ આપવામાં આવેલ હતો. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ( ઓબીસી ) ના લોકો માટે માંડલ કમિશનરે ૨૦ % જગ્યા અનામત રાખવા સૂચવેલ હોવાથી ગ્રામ્યની ચૂંટણીમાં ૧૦ % અનામત જગ્યા રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *