આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ રહ્યા હતાં ત્યારે અચાનક રોડની નીચે ટ્રેક્ટર ઉતરી અને પલટી મારી ગયું હતું. જ્યારે ડ્રાઇવરને હાથ પગ અને માથાના ભાગે ઇજા થઈ હતી.
આ જ સમયે ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજા કામ અર્થે ત્યાંથી જઈ રહ્યાં હતાં ત્યારે તેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ઈજાગ્રસ્ત થયેલાં પરપ્રાંતિય શ્રમિકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ૧૦૮ને બોલાવીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.