Latest

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આવકારતા નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ

આણંદ, સોમવાર : સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં પણ આજથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે.

ધોરણ ૧૦ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને આણંદ સ્થિત સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈએ પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવીને આવકાર્યા હતા.

આ પ્રસંગે શ્રી ઋતુરાજ દેસાઈએ વિદ્યાર્થીઓ શાંત ચિતે પરીક્ષાઓ આપે, કોઈપણ પ્રકારનું ટેન્શન ન રાખે તે ખૂબ જ જરૂરી છે. કેમ જણાવતા ઉમેર્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જે મુજબ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા સમયે તેમને વ્યવસ્થિત બેસવાની તથા પીવાના પાણી સહિતની તમામ આનુસંગિક વ્યવસ્થાઓ ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા દરેક સ્કૂલો ખાતે ઊભી કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કોઈપણ જાતના ટેન્શન વિના શાંત ચિત્તે પરીક્ષા આપવા અપીલ કરી હતી. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી  કામિનીબેન ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો..

પાટણ, એ.આર. એબીએનએસ: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા…

નિવૃત ડી.આઈ.જી. એ.કે.પંડ્યા અને નિવૃત ઈન્કમટેક્ષ કમિશ્નર બી.કે.શ્રીમાળીનું સાકર તુલા કરી લોક અભિવાદન કરાયુ

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ સમાજના અતિ પછાત એવી ગુરુ…

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન…

1 of 590

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *