ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ:
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત વૈદ્ય નિકુંજ મેવાડા (વૈદ્ય પંચકર્મ વર્ગ-૧) ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી મ.અ. હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા, ગોધરા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત 2025ની યોગ થીમ “Yoga for One Earth, One Health” મુજબ મિનિસ્ટ્રી ઓફ આયુષ યોગ પ્રોટકોલ પ્રમાણે SRPF ગ્રુપ 5 ગોધરા ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રીમતિ મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈધપંચકર્મ વૈધ નિકુંજ મેવાડા, તથા I/c RMO વૈધ જયદીપ બાંભણિયા અને હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના વેલનેસ સેન્ટરના યોગાચાર્ય પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં SRPF ગોધરાના ડીવાયએસપી વર્મા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે યોગ દિવસની ઉજવણીથી દરેકના શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ગોધરાના વડા વૈધ નિકુંજ મેવાડાએ યોગ દિવસનું મહત્વ દર્શાવતા જણાવ્યું કે યોગને જીવનમાં દરરોજ એક આદત તરીકે ઉતારવાથી ન માત્ર રોગી ને સ્વાસ્થ્ય પ્રાપ્તિ પરંતુ સ્વસ્થ વ્યક્તિ પણ વધારે સ્વસ્થ રહીને તેમની તથા તેમના પરિવારની રક્ષા તેમજ સમાજને સાચી દિશામાં લાવી શકે છે.
આ ઉપરાંત વૈધ નિકુંજ મેવાડાએ સહુ અધિકારી સાથે પંચકર્મ અંગે માહિતી આપી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ગોધરા ખાતે થતી પંચકર્મની વિસ્તૃત માહિતી આપી હતી.એસ.આર.પી.એફ. ગ્રુપ- 5 ગોધરા ના ડીવાયએસપી ચૌધરી, ડીવાયએસપી પટેલ તથા ડીવાયએસપી વર્મા આ કાર્યક્રમ માં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. SRPF ગોધરાના જવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ પૂર્વક યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.