Crime

પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો

વાળુકડ ગામની એક મહિલા જેઓ હાલ તેમના પતિ સાથે સહ પરિવાર સુરત માં રહે છે આ મહિલા ફરાર થવાની અફવાની ચર્ચા પાલીતાણા તાલુકાના ગામોમાં પ્રસરી હતી

જ્યારે આ મહિલા ના વાળુકડ ગામના કુટુંબીજનો ને જાણ થતા આવી ખોટી વાત કોઇ અસામાજિક તત્વોએ ફેલાવી હોવાની મહિલાને જાણ કરવામાં આવી હતી અને મહિલાને આ વાતની જાણ થતા મહિલાએ હિંમત બતાવીને સુરત પોલીસને સમગ્ર અફવા મામલે જાણ કરવામાં આવી હતી અને સુરત પોલીસ એક મહિલાની ઈજ્જત આબરૂ બચાવવા માટે તુરંત એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી હતી

જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આવી ખોટી અફવા ફેલાવનાર હરજી જીવરાજ ચાવડા (ગામ ઘેટી) તથા સુરેશ માવજી ચાવડા (ગામ નાનીમાળ) વાળાને સુરત પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને આ બંને લોકો એ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે આ ખોટી અફવા તેઓજ ફેલાવી હતી

આવી ખોટી અફવા ફેલાવનાર આ બંને લોકોએ મહિલાના પરિવારજનો અને સમાજના આગેવાનોની માફી માંગી હતી અને અંતે સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *