કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ સ્વ. પદ્મશ્રી શ્રી જોરાવરસિંહ જાદવ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ અને સ્વ. શ્રી પોપટલાલ નાનાલાલ વાઘેલા સ્મરણાંજલિ એવોર્ડ સમારંભના આ સુંદર પ્રસંગે ઉપસ્થિત મહેમાનો સુરેન્દ્રભાઈ પટેલ, મનહરભાઈ કાપડિયા, નાગજીભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ બારૈયા, વ્રજભાઈ મિસ્ત્રી, ઝાલા તથા આયોજક અજીતભાઈ વાઘેલા (ગ્રામ્ય ગુર્જરી કળા સંસ્થાના પ્રમુખશ્રી), શ્રી નરેન્દ્રસિંહ જાદવ (ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી), મુખોટે આર્ટ ગેલેરીના ટ્રસ્ટીશ્રી મતી કોકીલાબેન પટેલ, નીલુબેન પટેલ તેમજ કલા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો અને વિજેતા કલાકારોને હાર્દિક અભિનંદન પાઠવું છું; કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો,
જેમાં તમામ કલાકાર મિત્રોએ પોતાની કલા ઉત્તમ રીતે રજૂ કરી અને અદ્ભુત કલાકૃતિઓ નિહાળવાનો મોકો મળ્યો હતો, તેમજ આ પ્રસંગે મને કલાકાર વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું એ મારા માટે ગૌરવની વાત છે; તેમજ કલાકાર મિત્રો, નિર્ણાયક મંડળ, મહેમાનશ્રીઓ અને આયોજકોનો દિલથી આભાર માનું છું કે જેમણે મને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તક આપી.
પ્રકાશ ટેલર નિવૃત્ત ચિત્ર શિક્ષક/ કલાકાર એક નિવેદન માં જણાવ્યું હતું
















