Ahmedabad

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42થી 45 ડિગ્રી રહેવાનું અનુમાન

QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે

અમદાવાદ, સંજીવ રાજપૂત, હિન્દુસ્તાન કી એકતા દૈનિક, સુરત; ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 15 મેથી 21મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર,15 અને 16મે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 15 તારીખે હીટવેવની આગાહી આપવામાં આવી છે. તેમજ 17મેથી 21 મે સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તારીખ 14 મેથી 21 મેની સવાર સુધી મહત્તમ તાપમાન 42થી 45 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29થી 30 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે 6 ઝોનના 16 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટે 39 હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે.

આ QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બપોરના 12થી 5 વાગ્યા સુધી નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે.

અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.

ગરમીથી બચવા આ બાબતોની કાળજી રાખવી

બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.
ચા,કોફી અને સોડા વાળા પીણા પીવાનું ટાળવુ.
બહાર જતી વખતે છત્રી, ટોપી/સ્કાર્ફ નો ઉપયોગ કરવો.
બપોરે 12 થી 4 કલાક દરમિયાન શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું.
લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડા પહેરવા.
કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
નાના બાળકો -વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.

ગરમીની અળાઈઓ.
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
માથાનો દુઃખાવો,ચક્કર આવવા.
ચામડી લાલ -સૂકી અને ગરમ થઈ જવી. સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી. ઉબકા અને ઉલ્ટી થવી.

જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક સાધવો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે

શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી ખાસ અભિયાન શરૂ અમદાવાદ, સંજીવ રાજપૂત,…

1 of 33

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *