Devotional

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

શિવગ્રામ યાત્રા વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજીને અર્પણ

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા દ્વારા બાર જ્યોતિર્લીંગ યાત્રાના ભાવથી, શેત્રુંજયની ગોદમાં વસેલાં બાર ગામને સાંકળતી શિવગ્રામ યાત્રા યોજાઈ.

અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે શ્રાવણિયા સોમવારે યોજાતાં અખંડ મૃત્યુંજય મંત્રજાપનાં 30 વર્ષની વિશેષ ઉજવણી નિમિત્તે યાત્રા યોજાયેલ. ગ્રામજનોનાં સ્વયંભૂ ઉત્સાહથી ભવ્ય સામૈયા, ગામ પરિક્રમા તથા દિવ્ય ધર્મ ચર્ચા સંવાદ સત્સંગ ગામે ગામ આયોજિત થયાં. ગરાજિયા ગણધોળ અને આદપુર ખાતે ‘ શાળાને મંદિર અને મંદિરને જીવનની શાળા માનજો ‘ તેવાં આહ્વાન સાથે નિઃસ્વાર્થ સેવા થકી જ માનવ ઘડતર સંભવ છે.

મદદ એટલી જ સ્વીકારવી જે આપણાં ખમીરને હણે નહીં, આપણાં પુરૂષાર્થને પાંગળો ન કરે. સ્વાર્થી કે ગુપ્ત હેતુથી મદદ કરનાર પૂણ્ય નહીં, પાપ ભેગું કરે છે, એવો જન સંવાદ થયો. ડુંગરપુર અને નાના જાળિયા ખાતે વિકેન્દ્રિત ગ્રામિણ અર્થ વ્યવસ્થા અને સમરસ સમાજ વ્યવસ્થાની ચર્ચા કરી . અને ” મહાવીર હનુમાન આપણો આદર્શ હો”, “ચારિત્ર્યવાન સેવાભાવિ મુઠ્ઠીભર યુવાનો જગતની દશા અને દિશા બદલી શકે” એવી સ્વામી વિવેકાનંદની હાંકલ પ્રસ્તુત કરાઈ.

હસ્તગિરીમાં આપણાં પ્રતાપી પરાક્રમી અને પુરુષાર્થી પૂર્વજોને અનુસરવાનો અનુરોધ થયો. રોહીશાળા હાથસણી અને કંજરડા ખાતે “આપણે જરૂર છે, બ્રહ્મતેજ અને ક્ષાત્ર વીર્યની” એવું સ્વામી વિવેકાનંદનુ આહ્વાન ગ્રામજનો સમક્ષ રાખ્યાં પછી, શું ધર્મની કેળવણી માટે સનાતની હિંદુ સમાજ વ્યવસ્થા નિર્માણ કરે તે સમયની માંગ છે ? એવો પ્રશ્ન વિચારણા માટે આપવામાં આવ્યો. કંજરડામાં બાળકો માટે સંસ્કાર વર્ગ આયોજિત થયેલ. શ્રી ગુરુ આશ્રમ, કૈલાસ ધામ નાનીમાળ શ્રી રાજુબાપુ અને સંતો સાથે સત્સંગમાં કાર્યકર્તાઓએ રસપૂર્વક ભાગ લીધો અને સંધ્યા આરતીના દર્શન કર્યા.

સમગ્ર યાત્રા શિવભક્તિથી રંગાયેલ મનમાં શિવ સંકલ્પ રોપણી માટેની ધર્મ ધજાધારી યાત્રા બની, જેમાં પ્રસાદીનો થાળ હતો પણ દાન પાત્ર ન હતું. યાત્રા ગામે ગામ મોબાઈલના તથા અન્ય વ્યસનોથી બચવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કે અનુમોદન કરવાની પ્રતિજ્ઞા લેવડાવતી શ્રી જડેશ્વર મહાદેવ ઘેટી ખાતે સમ્પન્ન થયેલ.

આ સમગ્ર યાત્રાનું સુફળ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી પ્રેસિડેન્ટ સ્વ. બાલકૃષ્ણજી કે જેમણે અરુણાચલ પ્રદેશમાં શિક્ષણ આરોગ્ય અને સંસ્કૃતિ રક્ષાના કાર્ય દ્વારા રાષ્ટ્ર સાધનાનો શુભારંભ કરી, સમગ્ર ભારતમાં સેવારત કાર્યકર્તા ધડતર અને સેવા કાર્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેલ, તેમનાં શ્રી ચરણોમાં અર્પિત કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે.…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *