bhavnagar

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા

પાલીતાણા સિન્ધી સમાજ દ્વારા દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવવામાં આવી હતી

જેમાં પંજાબ પ્રાંતના અમૃતસરના રાગીભાઈ સાહેબ અને હર્ષદીપભાઈ નાં કથા કીર્તન માં સિંધી સમાજ ના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

અને સવારે ૫ કલાકે પ્રભાત ફેરી અને સાંજે ૬ કલાકે નગર કીર્તન સિંધી કેમ્પ વિસ્તાર માં કાઢવામાં આવ્યું હતું જેમાં સિંધી કેમ્પ વિસ્તાર માં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી અને તેની સાથે આતીશબાજી પણ કરવામાં આવી હતી

ગુરૂદ્ધારા સાહેબમાં રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ ખાતે આવેલ બન્ને ગુરૂદ્ધારા સાહેબમાં બપોરે તથા રાત્રી ના લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું

જેમાં સિંધી સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં લંગર પ્રસાદ નો લાભ લીધો હતો અને ગુરૂનાનક દેવજી ની ગુરુવાણી નામ – સિમરણ કરીને ગુરૂ સાહિબ જી ના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવન ને ધન્ય બનાવ્યુ હતું

રિપોર્ટર વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકાર એકતા પરિષદ દ્વારા બોટાદ – ભાવનગર અને સ્ટેટ મહિલા વિંગ નું 10 લાખ અકસ્માત વીમા પ્રીમિયમ ભર્યું..

સંગઠન દ્વારા પત્રકારના પરિવાર ની ચિંતા કરતું 10 લાખ વીમા કવચ વર્ષની ઉજવણી નો…

मंडल रेल प्रबंधक श्री दिनेश वर्मा द्वारा पुनर्निर्मित कम्युनिटी हॉल का भव्य उद्घाटन एवं कर्मचारियों को समर्पण

पश्चिम रेलवे, भावनगर मंडल के पुनर्निर्मित एवं आधुनिक सुविधाओं से युक्त कम्युनिटी…

પાલીતાણા રેલવે સ્ટેશન ખાતે થયેલ ચોરી માં માલ પરતની સફળતા મેળવતી રેલવે પોલીસ ની ઉત્કૃષ્ટ કામગીરી

મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા…

1 of 67

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *