bhavnagar

પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

પ્રભાતફેરી, લંગર પ્રસાદ,નગર કીર્તન સહિતના કાર્યકમો યોજાયા

પાલીતાણા સિન્ધી સમાજ દ્વારા દેશ અને દુનિયા ની સાથે પરંપરાગત રીતે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાલીતાણા સિંધી સમાજ દ્વારા શ્રી ગુરૂનાનક સાહેબ ની ૫૫૬ મી જન્મ જયંતી ની ધામધૂમ થી ઉજવવામાં આવી હતી

જેમાં પંજાબ પ્રાંતના અમૃતસરના રાગીભાઈ સાહેબ અને હર્ષદીપભાઈ નાં કથા કીર્તન માં સિંધી સમાજ ના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

અને સવારે ૫ કલાકે પ્રભાત ફેરી અને સાંજે ૬ કલાકે નગર કીર્તન સિંધી કેમ્પ વિસ્તાર માં કાઢવામાં આવ્યું હતું જેમાં સિંધી કેમ્પ વિસ્તાર માં ઠેર ઠેર પ્રસાદી વિતરણ કરવામાં આવી અને તેની સાથે આતીશબાજી પણ કરવામાં આવી હતી

ગુરૂદ્ધારા સાહેબમાં રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ ખાતે આવેલ બન્ને ગુરૂદ્ધારા સાહેબમાં બપોરે તથા રાત્રી ના લંગર પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું

જેમાં સિંધી સમાજના લોકોએ વિશાળ સંખ્યામાં લંગર પ્રસાદ નો લાભ લીધો હતો અને ગુરૂનાનક દેવજી ની ગુરુવાણી નામ – સિમરણ કરીને ગુરૂ સાહિબ જી ના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાના જીવન ને ધન્ય બનાવ્યુ હતું

રિપોર્ટર વિશાલ જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *