Breaking NewsLatest

ઉમરાળા વલભીપુર અને સિહોર ત્રણ તાલુકા હેલ્થ ઓફિસર ડો.માલવિયાને સનમાનીત કરાયા

સિહોર ખાતે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી સાથે સેવાના ભેખધારીને ડો.મનસ્વી માલવિયા ને સનમાનિત કરી એક ઉમદા અને બાહોશ વ્યક્તિત્વ ધરાવતા અને લોકો સાથે સરળતાથી ભળી જઈને કોઈપણ આરોગ્ય પ્રોજેક્ટ સારી રીતે પાર પાડી શકે છે એ એમની વિશેષતા છે કોવિડ પેડેમિક હોય કે કોવિડ વેક્સિનેશન હોય દિવસ-રાત જોયા વિના તેઓ હંમેશા લોકોના આરોગ્યની સેવામાં અભિરત રહ્યા છે કાર્ય કરવાની અને કરાવવાની પોતાની આગવી શૈલી છે કાર્ય કરાવવાની પદ્ધતિ એવી કે કર્મચારી ક્યારેય
ઘડિયાળનો સમય ના જુએ કેમ કે ક્રેડિટ હંમેશા પોતાની ટીમને આપી દે પોતે ના રાખે એવા સરળ
અને સહજ વર્તે છે જેથી કર્મચારીઓનો પ્રેમ સંપાદન કરી શક્યા છે સાથે આરોગ્ય વિભાગમાં પોતાની આગવી અલગ ઓળખ ઉભી કરી છે
આથી જ તેઓ આજે રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર હોવાની સાથે ત્રણ
તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર તરીકે પણ જવાબદારી અદા કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના ઉમરાળા વલભીપુર અને સિહોર
૩ તાલુકાના ૧૭૭ ગામડા,અને ૭૧,૭૪૯ ઘરના અને ૩,૭૮,૭૫૧ લોકોની વસ્તીના આરોગ્યની જવાબદારી એક હોંશિયાર અને કર્મઠ દિકરી નિભાવી રહી છે જે સમગ્ર રાજ્ય માટે ગૌરવ લઈ શકાય એવી ઘટના છે ભારત
આઝાદીના ૭૫ વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે આજે ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમની
વિશિષ્ટ સેવાઓ માટે સિહોર ડેપ્યુટી કલેક્ટર રાજેશ ચૌહાણ દ્રારા ડો.મનસ્વી માલવિયા ને વિષેશ રીતે સન્માનિત કરવામાં આવ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *