bhavnagarBreaking NewsGujaratHelth

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ને સંસદ સભ્યશ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રને સંસદ સભ્યશ્રી સ્થાનિક વિકાસ વિસ્તાર યોજના એમ.પી. શ્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે.

સિહોર સરકારી હોસ્પિટલ માં છેલ્લા થોડા સમયથી કંડમ એમ્બ્યુલન્સ હાલતને લઇ દર્દીઓને પરેશાની થતી હતી. જેને લઇ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સિહોર સરકારી હોસ્પિટલ માટે રજૂઆત કરવામાં આવેલ હતી. જે અંગે કેન્દ્ર સરકારના તત્કાલીન આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા એ આશરે 10 લાખની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત ભાવનગર મારફતે ખરીદી કરીને આ નવી એમ્બ્યુલન્સ વાહન ટાટા વિંગર ગાડી સિહોર સી.એચ.સી. હોસ્પિટલ માટે ફાળવવામાં આવી હતી.

જેમાં ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સંકુલમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રૈયાબેન મિયાણી,તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,આર.સી.એચ. ઓ શ્રી કોકિલાબેન સોલંકી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી અશોકભાઈ સોલંકી,સિહોર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકશ્રી તેમજ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમા લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન…

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ

ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનથી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંગમ થશે : કેન્દ્રીય રેલ…

1 of 381

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *