Devotional

યાત્રાધામ અંબાજી ખાતે સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

“હું અવશ્ય મતદાન કરીશ” ના સંકલ્પ સાથે દર્શનાર્થીઓ સહી ઝુંબેશમાં સહભાગી બન્યા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને
દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં સહી ઝુંબેશ દ્વારા આવનાર ભક્તોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો  સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને દરેક મતદાર પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ બને એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અંબાજી મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ અવશ્ય મતદાન કરીશુંના સંકલ્પ સાથે સહી ઝુંબેશમાં ભાગ લીધો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદીએ પણ અંબાજી આવતા માઈભક્તોને મતદાન માટે અપીલ કરી હતી.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અનોખી ભકિત!મધ્યપ્રદેશના બ્રાહ્મણોની અંબાજીમાં સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ કરીને ચૈત્રી નવરાત્રી પર્વ ઉજવી રહ્યા છે

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *