Devotional

આજથી અંબાજી શકિતપીઠ મા નવીન સિસ્ટમ લાગુ, બે ટાઇમ કચરા લેવા ગાડી આવશે

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ ખુબજ જાણીતું શક્તિપીઠ છે અને આ ધામમાં ગંદકી અને કચરાના ઢગલા અવારનવાર જોવા મળતા હતા અને આજ કારણે આજથી અંબાજી ખાતે માં અંબાના ધામને સ્વચ્છ અને સુંદર રાખવા માટે બે ટાઇમ કચરા લેવા ગાડી આવશે. અંબાજી ધામ આવનારા સમયમાં સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં નંબર વન બને તેવા પ્રયાસો આજથી શરૂ કરાયા છે.

શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ડોર ટુ ડોર કચરા લેવાની કામગીરી નો પ્રારંભ થયો.અંબાજી મંદિર ના વહીવટીદાર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ.અંબાજીમાં વિકાસ મંડળ દ્વારા અંબાજી ગામને ક્લીન બનાવવા બે ટાઈમ કચરા લેવા ગાડી આવશે.અંબાજી મંદિર ના વહીવટીદાર દ્વારા વેપારીઓને ડસ્ટબીન આપીને વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા

રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાતના જાણીતા પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા, ભાગવત કથાકાર અંબાજી મંદિરમાં દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

અનોખી ભકિત!મધ્યપ્રદેશના બ્રાહ્મણોની અંબાજીમાં સતત 9 દિવસ સુધી 24 કલાક યજ્ઞ કરીને ચૈત્રી નવરાત્રી પર્વ ઉજવી રહ્યા છે

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *