Education

કેન્દ્રીય વિધાલય શરૂ કરવા કેન્દ્રીય શિક્ષણમંત્રીને રજુઆત કરતા રાજ્યસભા સાંસદ

એબીએનએસ, પાટણ :. પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલય ના નવીન મકાનમાં શરૂ કરવા માટે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરવામાં આવી છે.પાટણ જિલ્લો અંતરિયાળ અને ખેતીવાડી અને પશુપાલન ઉપર લખતો જિલ્લો છે

અને આ જિલ્લામાં સરકાર દ્વારા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના અને શરૂઆત પાટણ શહેરના કે કે ગર્લ્સ હાઇસ્કુલ માં શરૂ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ શાળાનું નવીન બિલ્ડીંગ સરસ્વતી તાલુકામાં ચોરમાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ છે

તેથી બાળકોને દરેક પ્રકારની સુવિધાઓ રહેવા તથા અભ્યાસ સાથે રમતગમત સાથે બાળકો કુદરતી વાતાવરણમાં અને શાંત જગ્યાએ અભ્યાસ સાથે પોતાની દરેક શક્તિનો ઉજાસ સાથે વિકાસ થાય તે હેતુસર આ નવીન બિલ્ડીંગ અને શાળા બનાવવામાં આવેલ છે.આ શાળાની શરૂઆત થી આજદિન સુધી આ શાળા આ વિસ્તારમાં આવેલ એક અન્ય જગ્યાએ ભાડાના મકાનમાં ભાડેથી ચલાવવામાં આવે છે

આ નવીન બિલ્ડીંગ પાછળ સરકારે આશરે 20 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ પણ કરેલ છે પરંતુ આ નવીન બિલ્ડિંગમાં બાળકોને પ્રવેશ આપવામાં આવેલ નથી અને આ બિલ્ડિંગના રસ્તા વચ્ચે એક પાણીની કેનાલ આવેલ છે અને તેના ઉપર પાકું નાળુ પણ બનાવવામાં આવેલ છે પરંતુ કેટલીક સરકારી આંટી ધુટી અને પરવાનગી નહીં આપવાના કારણે

આ મકાનની આજે આશરે અઢી વર્ષ જેટલો સમય પણ થઈ ગયેલ છે.જેને લઈને પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય સભાના સંસદ મયંકભાઇ નાયક દ્વારા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લેખિત રજૂઆત કરાવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *