Latest

અખિલ ભારતીય આહીરાણી મહારાસનું લોઢવા ખાતે અંતિમ પડાવ ડેમો રાસનું આયોજન કરવામાંનું આવ્યું

ભગવાન દ્વારકાધીશ ના સાનિધ્ય માં ૨૩ અને ૨૪ ડિસેમ્બર માં થવા જય રહેલા અખિલ ભારતીય આહીરાણી મહારાસ નો આજ રોજ લોઢવા ખાતે અંતિમ પડાવ એક ડેમો રાસ રાખવામાં આવ્યો હતો

જેમાં ગીર સોમનાથ જિલ્લા ના તમામ આહીર સમાજ ની બહેનો તેમજ જુદા જુદા ગુજરાત ના જિલ્લા માંથી આહીર સમાજ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ રાસ ના મેદાન માં ભગવાન શ્રી ક્રિષ્ના ની જય સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું

ત્યાર બાદ મહારાસ માં આવેલ સિંગર મીરાબેન આહીર, અર્જુનભાઈ આહીર, પુષ્પાબેન આહીર, ગીતાબેન આહીર, ગોપાલભાઈ આહીર, દેવશીભાઇ આહીર તેમજ જગાઆપા નું પુષ્પગુન્ચ તેમજ લોઢવા ગામના લેખક રામભાઈ વાઢેર દ્વારા લખેલુ ઓવારણાં નામનું પુસ્તક ભેટ આપી તમામનું સન્માન કરવામાં આવ્યું હતું

બાદ માં દ્વારકા ખાતે થવા જય રહેલા મહારાસ ના નિયમો જેવા કે સૌપ્રથમ બહેનો દ્વારા ઉપવાસ, જાગરણ, મૌન વ્રત, વ્યસન મુક્ત જેવા અનેક નિયમ વિશે માહિતી પણ આપવામાં આવી હતી તેમજ ગીર સોમનાથ જિલ્લા ના પ્રતિનિધિ કરી રહેલા બહેનો દ્વારા તમામ બહેનોનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમ માં આહીર સમાજ ના નામી અનામી આગેવાનો તમેજ અનેક આહીર સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…

1 of 600

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *