Latest

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 1004.90 લાખ રૂપિયા સાવરકુંડલા શહેર માટે મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા

સાવરકુંડલા શહેરને નવી રોશની આપશે મુખ્યમંત્રી શહેરી સડક યોજના…!

સાવરકુંડલા શહેરી જનો વતી નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યોએ ધારાસભ્ય કસવાલાનો સહ્રદય આભાર માન્યો

ગુજરાત સરકારના મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવાનું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના સાવરકુંડલા શહેરમાં 1 થી 9 વોર્ડના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. 1004.90 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

આ યોજનાથી શહેરના 1 થી 9 વોર્ડના રસ્તાઓ નવા બનાવવામાં આવશે, જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને નાગરિકોને સુવિધા મળશે ,આ યોજના સાથે સાવરકુંડલા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને શહેરનું મુખ્ય ચિત્ર બદલાશે.,સારા રસ્તાઓના કારણે શહેરના નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાહનવ્યવહારની સુવિધા મળશે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા 1004.90 લાખ મંજૂર કરવા બદલ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબનો નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી તેમજ તમામ સદસ્ય દ્વારા આ મંજૂર કરવવા બદલ આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *