Latest

આખરે રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર અને થરાદ ટીડીઓની મેહનત રંગ લાવી. વર્ષોથી દેહવ્યાપાર કરતી વાડિયાની આશરે 60 મહિલાઓએ અંબાજીમાં સ્વરોજગરનો સંકલ્પ લીધો

અંબાજી, સંજીવ રાજપૂત: રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, થરાદ મહીલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો છે અને તેમની મેહનત રંગ લાવી છે. વર્ષોથી દેહ વ્યાપાર કરતી થરાદ પાસેના ગામ વાડિયાની આશરે 60 મહિલાઓએ અંબાજી ખાતે દેહવ્યાપાર છોડી સ્વરોજગારનો સંકલ્પ કર્યો,

ગુજરાતમાં એક એવું ગામ આવેલું હતું જે દેહ વ્યાપારથી બદનામ હતું અને જેનું દુષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ થી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાઓએ ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ તે પ્રયાસ સફળ થયા નહતા અને આ ગામ વર્ષોથી દેહ વ્યાપાર વેપાર કરતું હતું.

પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમને એક સંકલ્પ કર્યો કે હમારા જે વિસ્તારમાં જે ગામ છે તે ગામમાં આ બદી કાયમી ધોરણે બંધ થાય તે માટે તેમને રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા એનજીઓ દ્વારા સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવુ જીવન શરૂ કરવા માટે સખીમંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમને આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી

અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે. થરાદ તાલુકામાં થોડા સમય અગાઉ મહિલા ટીડીઓ આવે છે અને તેઓ પોતાના તાલુકામાં જ્યાં દૂષણ છે તે કાયમી ધોરણે બંધ કરાવવા માટે પ્રતિજ્ઞા લે છે અને જિલ્લાના કલેક્ટર, ગામના સરપંચ, સખી મંડળો અને વિવિધ એનજીઓ મારફતે તેઓએ ગામની મહિલાઓને સમજાવે છે

અને આ મહિલાઓ તે સમજાવટ બાદ અંબાજી મંદિર ખાતે આવે છે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કરે છે કે હવે અમે કાયમી ધોરણે દેહ વ્યાપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોએ દતક લીધેલા છે ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *