Latest

રાધનપુરમાં સરકારી રેફરલ હોસ્પિટલની બેદરકારી અને સ્ટાફની મનમાની આવી સામે

એબીએનએસ, રાધનપુર: રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર મેળવે જેના માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સાથે ઓરમાયું વર્તન થતાં સરકારના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંધન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે.

રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દી સાથે હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરાયું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાધનપુર સરકારી હોસ્પિટલમા આવેલ દર્દીની દવા નહિ કરતા સતત 2 કલાક સુધી દર્દીને હોસ્પિટલમા બેસી રહેવા મજબુર કરતા આખરે પ્રાઇવેટ હોસ્પિટલ પહોંચતા દવા શરુ કરાઈ હતી જેમાં તે સમયે રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણુક સામે આવી છે.

રેફરલ હોસ્પિટલમા હાજર સ્ટાફ અને નર્સએ સાંજના 4 વાગ્યાં સુધી દવા નહિ થાય તેવું કહેતા દર્દીની સાથે આવેલ સગાએ દુખાવાની દવા કે રાહત પૂરતું ઈન્જેકશન આપવા કહેલ જે બાદ પણ કોઈવાત સાંભળવામાં નહિ આવતા આખરે મજબુર બની પેસન્ટને સગાએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ મા લઇ જવા મજબુર બનવું પડ્યું હતું …

રાધનપુર રેફરલ હોસ્પીટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી દર્દી આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા દર્દી ની શુ હાલત બને તેવા સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે.

સરકારી હોસ્પિટલ માં હાજર સટાફ કહે છે કે ચાર વાગ્યાં સુધી તો દર્દી દવા નહિ થાય.. અને જવાબ આપે છે કે તમારા થી થાય એ કરી નાખો બાકી હાલ દવા નહિ થાય.. ત્યારે આ સાંભળીને લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમા સ્ટાફની ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે.

આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ પહોંચી હોસ્પિટલ ના સ્ટાફ સહીત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો રાધનપુરના ધારાસભ્ય જાહેર જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે આગળ આવે તે પણ જરૂરી બની ગયું છે.

આ બાબતે રેફરલના ઉચ્ચ અધિકારીને જાણ કરતા પૂછતાં તેઓએ એ આ આક્ષેપો નકાર્યા હતા અને આ બાબતે વધુ જાણકારી મેળવી યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. હવે જોવું એ રહ્યું કે આ બાબતે નર્સ કે સ્ટાફ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે પછી આ રીતે જેસે ચાલતા હે ચલને દો ની નીતિ ચાલુ જ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *