Latest

ઈડર ના ચિત્રોડા ના પ્રાંત કલેકટર ને શ્રદ્ધાજલી અપાઈ,ગ્રામજનોએ અપમૃત્યુ મામલે તટસ્થ તપાસની માંગ કરી

 

સાબરકાંઠા સહિત બનાસકાંઠા તેમજ અમદાવાદમાં તટસ્થ અને પ્રમાણિક અધિકારી તરીકેની ખ્યાતિ પામી ચૂકેલા સ્વર્ગસ્થ રાજુભાઈ કે પટેલના અપમૃત્યુ મામલે ગતરોજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ ગ્રામજનો એ શ્રદ્ધાંજલિ આપી હતી

તેમજ બે મિનિટ નું મૌન પાળી સ્વર્ગસ્થ રાજુભાઈ પટેલ ના સંસ્મરણો વાગોળ્યા હતા જોકે શ્રદ્ધાંજલિ સમય હાજર રહેલા સૌ કોઈએ સ્વ.રાજુભાઈ પટેલ ની કાર્ય પદ્ધતિ અને કાર્ય પ્રણાલીને વખાણી હતી તેમજ સમગ્ર વિસ્તાર સહિત સમાજનો ઉગતો સુરજ મધ્ય અને આથમી ગયો હોય તેમ સૌ કોઈએ દિલગીરી વ્યક્ત કરી હતી

સાથોસાથ વહીવટી તંત્ર પાસે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી તેમજ આગામી સમયમાં સ્વર્ગસ્થ રાજુભાઈ પટેલ ના અપમૃત્યુ મામલે કઈ પણ કાચું કપાય તો સ્થાનિક ગ્રામજનોએ પોતાની સૌમ્યતા છોડી ઉગ્ર પ્રત્યાઘાત ની લાગણી વ્યક્ત કરી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *