Latest

કમોસમી વરસાદે દાંતા તાલુકામાં કહેર વર્તાવ્યો, ખેતીને નુકસાન,કરા પડ્યા

 

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહીને પગલે જિલ્લાના વહીવટી તંત્રએ લોકોને બચાવ માટે જાણ પણ કરી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ઘણી જગ્યાએ ખેતી પાકને નુકસાન થયું છે.

લીલા દુકાળને પગલે ધરતીપુત્રોને નુકસાન થયું છે અને તેમની ખેતી પણ બગડી ગઈ છે ત્યારે સરકાર દ્વારા આવા ધરતીપુત્રો ને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કમોસમી વરસાદથી ધ્રાંગીવાસ ગામના ખેડૂતો પાયમાલ થયા છે l.એક માત્ર શિયાળાની ખેતી પર નિર્ભર આદિવાસી ખેડૂતો નો રોટલો મોંમાં આવેલો કોળીયો કુદરતે છિનવી લીધો છે. દાંતા તાલુકાના અનેક નાના-મોટા ગામો જેવા કે માળ, સોળસંડા, પાંસા, રીંછડી સહિતના ગામોમાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે.

ધરતીપુત્રો ની માંગ છે કે અમને સરકાર દ્વારા સહાય આપવામાં આવે. દાંતા તાલુકામાં અનેક ગામોમાં આજે આવેલા કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થવાથી વહીવટી તંત્ર એ તાત્કાલિક આવા ગામોની મુલાકાત લેવી જોઈએ.

શક્તિપીઠ અંબાજી ખાતે આજે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેમાં અંબાજીના બજારમાં પાણીની નદી વહેતી જોવા મળી હતી. અંબાજીમાં કરા સાથે વરસાદ પડતા લોકોએ પણ વરસાદની મજા માણી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *