Latest

બાલાસિનોર કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે સાંસદના અધ્યક્ષ સ્થાને કૃષિ મેળો યોજાયો

બાલાસિનોર, સંજય ઝાલા: બાલાસિનોર ખાતે મિલેટ ડેવલોપમેન્ટ યોજના તેમજ એ. જી. આર ૩ યોજના હેઠળ ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આધુનિક કૃષિ તાંત્રિકતા અને નવીનતમ સંશોધનની માહિતી માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો વ ધાન્યપાક પરિસંવાદ બાલાસિનોર તાલુકાના કેદારેશ્વર મહાદેવ હોલ ખાતે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયો.

આ પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે , મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી વડાપ્રધાનના મિલેટસનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દેશના નાગરિકોની તંદુરસ્તી જળવાય તેવા આહવાન ને ધ્યાને લઈ પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.

સાંસદએ વધુમાં ઉમેર્યું કે , પેહલા દેશમાં ૨૩ પ્રકારના જાડું ધાન્ય ઉપલબ્ધ હતું જે આજે ૭ પ્રકારના જાડા ધાન્ય જોવા મળે છે .જાડાં ધાન્યના ઉપયોગથી આપણે આવનારી પેઢીઓને ઘણી બધી બિમારીઓથી બચાવી શકીએ છીએ તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ,મહીસાગર , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર .પટેલ , બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ, જિલ્લા પંચાયત સદસ્યો, સરપંચો , તાલુકા વિકાસ અધિકારી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *