Latest

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

એબિએનએસ, વી.આર. ગોધરા:
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા તાલુકા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો સરકારી આઇ.ટી.આઇ, મોરવા હડફ ખાતે યોજાયો હતો.

જેમાં કુલ ૩૪ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.આ ભરતી મેળામાં પંચમહાલ જિલ્લાની સેટકો ઓટો સિસ્ટમ પ્રા.લી., સત્યમ ઓટો કોમ્પોન્ટસ પ્રા.લી., સુયોગ ઇલેક્ટ્રિકલ., ધમ્મા એન્ટરપ્રાઈઝ., ચૈતન્ય માઇક્રો ફાઇનાન્સ., લાઇટ માઇક્રો ફાઇનાન્સ., પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર.,

અને વડોદરા જિલ્લાની યશસ્વી ફોર સ્કીલ એકેડમી સહિતની ૦૮ નોકરીદાતા કંપનીઓ દ્વારા હેલ્પર, મશીન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, રિલેશનશિપ મેનેજર, ફિલ્ડ ઓફિસર, ટ્રેઇની અને એપ્રન્ટીસ સહિતની ૨૫૦ જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ ખાલી જગ્યાઓ ભરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંતભાઇ રાણા દ્વારા ઉમેદવારોને પીએમ ઇન્ટર્નશીપ યોજના, એપ્રન્ટીસ માર્ગદર્શન, અગ્નિવીરની ભરતી અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ રોજગાર ભરતી મેળામાં વિવિધ લાયકાત અને કૌશલ ધરાવતા ૭૦ જેટલાં હાજર ઉમેદવારો પૈકી ૩૪ ઉમેદવારોની ૦૮ નોકરીદાતાઓ દ્વારા ઈન્ટરવ્યુ પ્રક્રિયાના માધ્યમથી સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હોવાનું જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *