Latest

દાંતા તાલુકા ના નવાવાસ ગામે વાલ્મીકી સમાજ ને સ્મશાન ભૂમિ ના ફાળવાતા હોબાળો

વાલ્મીકી સમાજ દ્વારા શબ દાંતા મામલતદાર કચેરી ખાતે લવાયું……

બ.કા જિલ્લા ના તાલેપુરા અને નવાવાસ ગામ ખાતે વાલ્મીકી સમાજ ને સ્મશાન ભૂમિ માટે અન્યાય……

તાત્કાલિક જમીન નહિ મળે, ત્યાં સુધી લાશ ની અંતિમવિધિ નહિ કરવાની સમાજ લોકો ની ચીમકી….

ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ખાતે આવેલ નવાવાસ ગામ ના વાલ્મીકી સમાજ ના લોકો દ્વારા શબ  મામલતદાર કચેરી ખાતે લઈ આવતા, મામલો ગરમાયો હતો.

દાંતા તાલુકા ના નવાવાસ ગામ ખાતે વસતા વાલ્મીકી સમાજ ના લોકો દ્વારા સ્મશાન ભૂમિ ની માંગ છેલ્લા ઘણા સમય થી કરાઇ રહી છે જે માટે તલાટી ,ગ્રામ પંચાયત , સહિત મામલતદાર શ્રી સુધી અનેકોવાર રજૂઆતો કરવા છતાં પણ સ્મશાન ભૂમિ ની ફાળવણી અંગે કોઈ નિર્ણય ના લેતા વાલ્મીકી સમાજ ના લોકો ને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવતો હતો .જેના લીધે આ સમાજ ના લોકો ને અનેક મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.

ત્યારે આજ રોજ વાલ્મીકી સમાજ ના એક માણસ નું આકસ્મિક મૃત્યુ થતા લાશ ને દફનાવવા માટે જગ્યા ના મળતા વાલ્મીકી સમાજ રોષે ભરાયો હતો અને શબ ને લઈ મામલતદાર કચેરી દાંતા ખાતે આવી પહોચી

“ડેડ બોડી ને ન્યાય આપો ” ,તેમજ
“પ્રશાસન મુર્દાબાદ” જેવા નારા લગાવી ,તાત્કાલિક સ્મશાન ભૂમિ ની માંગ પૂરી કરવા ઉગ્ર દેખાવો કર્યા હતા. આ સમગ્ર બાબતે નવાવાસ ગામ ના વાલ્મીકી સમાજ ના આગેવાન દ્વારા તાત્કાલિક સ્મશાન ભૂમિ ની માંગ  પૂરી કરવા માંગ કરાઈ રહી છે ,હો તેમ નહીં થાય તો શબ ની અંતિમવિધિ નહિ કરાય તેવી ચીમકી અપાઈ છે .

અહેવાલ…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અરવલ્લી ના ભિલોડા ખાતેગુજરાત પ્રદેશ દ્વારા વનયાત્રા તથા વ્યસનમુક્તિ રેલી નુ ભવ્ય આયોજન કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી શ્રીગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દર…

કન્યાઓને ભણતર અને ધડતરના પાઠ શીખવનાર સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનો ૯૦મો સ્થાપના દિવસ ઉજવાયો

જામનગર, સંજીવ રાજપૂત: સમગ્ર વિશ્વના શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો.સર્વપલ્લી…

નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક જાગૃત્તિ તથા રોડ સેફ્ટી કાર્યક્રમ યોજાયો

સુરત.સંજીવ રાજપૂત: કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળના નેહરુ…

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ -૨૦૨૫ અંતર્ગત યોજાયેલ પેનલ ડિસ્કશનમાં જામનગરની વિદ્યાર્થીનીની થઈ પસંદગી

જામનગર, સંજીવ રાજપૂત: બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવથી દુર રહી…

૧૭ મી ઈન્ટર કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નો થયો પ્રારંભઃ

સુરત: સંજીવ રાજપૂત: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ કચેરી અને સુરત…

1 of 573

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *