Latest

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

આણંદ, મંગળવાર :: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી આણંદ ખાતે રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે તમામ જરૂરી માપદંડોનું પાલન થાય તે જોવાં સબંધીત વિભાગને સૂચન કર્યું હતું.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ બેઠકમાં ગામડી ઓવરબ્રિજ- રોંગ સાઈડ ડ્રાઈવીંગ બાબત, બોરસદ-તારાપુર માર્ગ ઉપર વાહનોની રોંગ સાઇડ અવરજવરના કારણે વધુ અકસ્માત સર્જાતા હોઇ તે અંગે જરૂરી પગલા લેવા બાબત અને બોરસદથી રાસ- ધુવારણ તરફના માર્ગ ઉપર વારંવાર અકસ્માત સર્જાતા હોઇ આઈઆરસી નિયમો મુજબની કામગીરીની સમીક્ષા જેવાં મુદ્દાઓ કલેક્ટરશ્રી સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધીત વિભાગને જરૂરી સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, આણંદ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, બોરસદ પ્રાંત અધિકારીશ્રી હેતલ ભાલીયા, ખંભાત પ્રાંત અધિકારીશ્રી નિરુપા ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય સબંધિત વિભાગ-ક્ચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *