Latest

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આણંદની શિખોડા તલાવડી પ્રાથમિકા શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

નગરજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો

આણંદ, મંગળવાર:: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

જે અંતર્ગત આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩, ૪, ૫, ૬ અને ૧૦ માટે શહેરની શિખોડ તલાવડી પ્રાથમિક શાળા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઇ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી પ્રત્યેક વ્યક્તિ અને પરિવારનો વિકાસ સાધવાનો છે. તેમણે સામુહિક પ્રયાસો દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં લાવવાના સંકલ્પમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમને મળેલી સરકારી સહાય અને યોજનાના લાભ વિશે પોતાના પ્રતિભાવ રજૂ કરી સરકાર પ્રત્યે આભારભાવ પ્રગટ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો- ચેક નું વિતરણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી એસ.કે ગરવાલ, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી સુમિત્રાબેન પઢિયાર, અગ્રણીશ્રી મયુરભાઇ પટેલ, સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર, નિલેશભાઇ પટેલ, આણંદ નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ અને લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *