LatestOther

અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી,મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી કેટલાય લોકોને સારવાર આપીને જીવ બચાવ્યા

મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી.

જે અંતર્ગત સુપ્રિટેન્ડન્ટ શ્રી વાય.કે.મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી.

માતાજીના આશીર્વાદ થી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા. અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયા ધામ – સિદસર નાં પ્રમુખ જેરામ વાંસજાળિયા એ નૈતિક કારણોસર રાજીનામું આપવું જોઈએ

સમગ્ર પાટીદાર સમાજ માં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ પ્રેસ…

૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધાનું ગાંધીનગરમાં થયું સમાપન. ડીજીપીએ વિજેતાને સન્માનિત કર્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ…

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 526

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *