Ahmedabad

ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરતા રાજ્યના મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપોત્સવ પર્વ દિવાળીની વિશેષ ઉજવણી ગાંધીનગરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે લાભાર્થીઓ ની પોતીકી વસાહત નમો નારાયણ રેસીડેન્સી માં સૌ સાથે મળીને કરી હતી.

મુખ્યમંત્રીએ આ ઉમંગ ઉજવણીમાં સૌ વસાહતીઓને પ્રેરણા આપતા કહ્યું કે તમારા પોતીકા આવાસની આ વસાહતમાં સૌ સાથે મળીને જેમ દિપાવલી ઉજવેછે તેમ સમગ્ર વસાહતની સ્વચ્છતા સફાઈ પણ સૌ કાળજી લઈને રાખે.

તેમણે સૌ વસાહતીઓને દિપાવલી અને નૂતન વર્ષ ની શુભેચ્છાઓ પાઠવતા વસાહત ને સ્વચ્છતા સફાઈ માં અન્ય માટે ઉદાહરણ રૂપ બનાવવા પણ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આવાસ યોજનાના લાભાર્થી પરિવારો સાથે દિવાળી શુભ કામના આદાન પ્રદાન કર્યું હતું અને આતશ બાજી નિહાળી હતી.
આ અવસરે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, મહાનગર પાલિકા ના અને શહેર સંગઠનના પદાધિકારીઓ, હાઉસિંગ સચિવ ગોહિલ તેમજ અધિકારીઓ અને વસાહતી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આગામી તા.19 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલમાં, અમદાવાદ અને ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે…

મુખ્યમંત્રીએ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી…

1 of 15

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *