Latest

માનસિક દિવ્યાંગ મહિલાનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

અમદાવાદ, સંજીવ રાજપૂત: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની દેખરેખ હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર –સોલા, અમદાવાદ અને 181 મહિલા હેલ્પલાઈન પીડિતા સુશ્રી પ્રભાબહેન(નામ બદલેલ છે) માટે પોતાના ઘરે પહોંચવાનું માધ્યમ બની.

181 પર મદદ માંગવાના કારણે સખી વન સ્ટોપ સેન્ટર, સોલા ખાતે પ્રભાબહેનને લઈ જઈને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમની ભાષામાં જાણ ન પડતાં સેન્ટરના કર્મચારીઓ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ભાષાનાં જાણકારને બોલાવવામાં આવ્યા હતા. પ્રભાબહેને તેમનું સરનામું ઓડિશાનું જણાવ્યું હતું.

બોપલ પોલીસ અને સોલા પોલીસ સ્ટેશન દ્વારા પ્રભાબહેનનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સોલા પોલીસ સ્ટેશન પર પ્રભાબહેનની ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનથી તેમના પરિવારની જાણકારી મળી, જેના આધારે તેમના પુત્રને જાણ કરવામાં આવી હતી.

સુશ્રી પ્રભાબહેનના પુત્રને સખી વન સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે પ્રભાબહેન અસ્થિર મગજના હોવાથી ઘરેથી નીકળી ગયા હતાં. પ્રભાબહેન પુત્ર જોડે ગોતા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. આમ, સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી માનસિક દિવ્યાંગ પ્રભાબહેનને તેમના પુત્ર જોડે પુનઃ મુલાકાત કરાવવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *