Ahmedabad

શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત: 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે; આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે.

આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, ટ્રાફિક જેસીપી એન. એન. ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશ્નર, સેક્ટર 1, નીરજકુમાર બડગુજર, અમદાવાદ શહેરના તમામ ડીસીપીઓ, એસીપીઓ અને પીઆઇઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પતિભાબહેન જૈન અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *