Ahmedabad

અમદાવાદ મંડળમાં ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મજયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ માં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવી. આ પ્રસંગે, મંડળ રેલ પ્રબંધક કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં, મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ બાબા સાહેબની છબી ને માળા અર્પણ કરી અને દીપ પ્રાગટ્ય કર્યું.

મંડળ રેલ પ્રબંધક શર્માએ જણાવ્યું કે સંવિધાન માં સમાનતા ન્યાય અને બંધુત્વ ની ભાવના નો જે ભાવ બાબા સાહેબે આપ્યો છે તેનું પરિણામ છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહી ના રૂપમાં ભારત પ્રગતિ કરી રહ્યું છે. બાબા સાહેબે કહ્યું હતું કે આપણે શરૂઆતથી અંત સુધી ભારતીય છીએ, જો આપણે આ ભાવનાને આપણા જીવનનો ભાગ બનાવીને કામ કરીશું, તો આપણને ચોક્કસ સફળતા મળશે.

આ પ્રસંગે, અપર મંડળ રેલ પ્રબંધક શ્રીમતી મંજુ મીણા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી સિદ્ધાર્થ સહિત વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન અને એસોસિએશનના પદાધિકારીઓએ પણ એક પછી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને બાબા સાહેબના જીવન પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *